ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા – ઘાયલ A+ A- Print Email ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા. જુલ્ફોય કમ નહોતી જરા એ મહેક માં, મુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા. એમ જ કદાપિ કોઇને લોકો ભજે નહિ, ખપતું’તુ સ્વર્ગ એટલે ઇશ્વર સુધી ગયા. ‘ઘાયલ’ ની ભાવભીની અમારે તો દોસ્તી, આ એટલે તો દુઃશ્મનોના ઘર સુધી ગયા. – ‘ઘાયલ’
Post a Comment